સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે સીરામીક યુનિટમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજેલ છે.બનાવને પગલે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલા મેક્સ ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુમિત શ્યામનારાયણ ચૌહાણ નામનો ૨૩ વર્ષનો મજૂર યુવાન કારખાનાની અંદર ગ્લેઝલાઈનમાં કામ કરતો હતો.ત્યારે તેને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો.જેથી તેનું મોત નીપજયું  હતું.બનાવને પગલે ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

શોભેશ્વર રોડ ખાતે સામસામે મારામારી

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા હોમ ડેકોર નામના કારખાનામાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં લોખંડના પાઇપ અને ધોકા વડે સામસામે મારામારી થતા માથા તથા શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં જીતુભાઈ રામલાલ યાદવ (૩૨) રહે.હોમ ડેકોર સિરામિક પાસે શોભેશ્વર રોડ, પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવ (૪૫), મુલાયમસિંહ મહાવીરસિંહ નિશાદ (25) રહે.હોમ ડેકોર સીરામીક પાસે શોભેશ્વર રોડ, શિવરત્ન શ્યામબાબુ નિષાદ (૩૦) અને અરૂણ અનિલભાઈ નિશાદ (૨૩) રહે.બંનેટાઇટન સિરામિક ઉચી માંડલ પાસે હળવદ રોડ મોરબી ને ઇજાઓ થયેલ હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી  પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર વખતે અત્રેની ખાનગી નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતા સ્ટાફના મૌમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News