Morbi Today
મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી
SHARE
મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચિરાગભાઈ મહેશભાઈ સહિતની ટિમ "કોંગ્રેસ આપને દ્વાર" કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરનાં વોર્ડ નંબર-૫ નાં સો-ઓરડી વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં સ્થાનિક લોકોના ઘરે ઘરે જઈને તેઓની વ્યથાને સાંભળી હતી અને આવનારા દિવસોમાં સ્થાનિક લોકોના પ્રશ્નોને વાંચા આપવામાં આવશે તેવું કોંગ્રેસ પક્ષના આગેવાનોએ જણાવ્યુ છે.









