માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE













મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે સીરામીક યુનિટમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજેલ છે.બનાવને પગલે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલા મેક્સ ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુમિત શ્યામનારાયણ ચૌહાણ નામનો ૨૩ વર્ષનો મજૂર યુવાન કારખાનાની અંદર ગ્લેઝલાઈનમાં કામ કરતો હતો.ત્યારે તેને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો.જેથી તેનું મોત નીપજયું  હતું.બનાવને પગલે ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

શોભેશ્વર રોડ ખાતે સામસામે મારામારી

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા હોમ ડેકોર નામના કારખાનામાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં લોખંડના પાઇપ અને ધોકા વડે સામસામે મારામારી થતા માથા તથા શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં જીતુભાઈ રામલાલ યાદવ (૩૨) રહે.હોમ ડેકોર સિરામિક પાસે શોભેશ્વર રોડ, પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવ (૪૫), મુલાયમસિંહ મહાવીરસિંહ નિશાદ (25) રહે.હોમ ડેકોર સીરામીક પાસે શોભેશ્વર રોડ, શિવરત્ન શ્યામબાબુ નિષાદ (૩૦) અને અરૂણ અનિલભાઈ નિશાદ (૨૩) રહે.બંનેટાઇટન સિરામિક ઉચી માંડલ પાસે હળવદ રોડ મોરબી ને ઇજાઓ થયેલ હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી  પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર વખતે અત્રેની ખાનગી નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતા સ્ટાફના મૌમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.








Latest News