મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE













મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે સીરામીક યુનિટમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજેલ છે.બનાવને પગલે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલા મેક્સ ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુમિત શ્યામનારાયણ ચૌહાણ નામનો ૨૩ વર્ષનો મજૂર યુવાન કારખાનાની અંદર ગ્લેઝલાઈનમાં કામ કરતો હતો.ત્યારે તેને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો.જેથી તેનું મોત નીપજયું  હતું.બનાવને પગલે ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

શોભેશ્વર રોડ ખાતે સામસામે મારામારી

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા હોમ ડેકોર નામના કારખાનામાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં લોખંડના પાઇપ અને ધોકા વડે સામસામે મારામારી થતા માથા તથા શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં જીતુભાઈ રામલાલ યાદવ (૩૨) રહે.હોમ ડેકોર સિરામિક પાસે શોભેશ્વર રોડ, પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવ (૪૫), મુલાયમસિંહ મહાવીરસિંહ નિશાદ (25) રહે.હોમ ડેકોર સીરામીક પાસે શોભેશ્વર રોડ, શિવરત્ન શ્યામબાબુ નિષાદ (૩૦) અને અરૂણ અનિલભાઈ નિશાદ (૨૩) રહે.બંનેટાઇટન સિરામિક ઉચી માંડલ પાસે હળવદ રોડ મોરબી ને ઇજાઓ થયેલ હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી  પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર વખતે અત્રેની ખાનગી નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતા સ્ટાફના મૌમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News