સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા રાજકોટના મોટીવાવડી ગામે રહેતા યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે વાંકાનેર નજીક વઘાસિયા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ લીધું હોય તેનું મોત નીપજ્યું છે તે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટમાં મોટી વાવડી ખાતે રહેતો પ્રીતકુમાર નંદલાલ ભાલોડીયા (27) નામનો યુવાન મોરબી હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે બાયપાસના ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલા પ્રીતકુમાર ભાલોડીયાને 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનનું રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં ટી.આર.રિફેકટરીઝ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ રામચંદ્ર ભીલ (23) નામનો યુવાને કારખાનામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જગદીશભાઈ કણસાગરા (59) રહે. ધર્મનગર સોસાયટી પંચાસર રોડ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News