મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન


SHARE













મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ મોરબી જિલ્લો તથા રાધે કૃષ્ણ પરિવાર દ્વારા આગામી પવિત્ર ચૈત્ર માસમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને સમૂહ રાંદલ મહોત્સવ યોજાશે.

કથાનો પ્રારંભ તા 11/04 ને શનિવારથી કરવામાં આવશે અને કથાનો સમય બપોરે 3 થી 7 કલાક સુધી રહેશે તેમજ સમૂહ રાંદલ મહોત્સવ તા 14/04 ને મંગળવારે રાખવામા આવેલ છે અને કથા પૂર્ણાહુતિ તા 17/04 ને શુક્રવારના રોજ યોજાશે. આ કથામાં વ્યાસપીઠ પરથી વિદ્વાન ભાગવતાચાર્ય નિખિલભાઈ જોષી (મોરબી) પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે

જે પરિવારો પિતૃઓના મોક્ષાર્થે ભાગવત નથી કરી શકતા, તેવા ભક્તો માટે માત્ર 5001 માં પોથીજી બિરાજમાન કરી આપવામાં આવશે. જેમાં પિતૃપૂજન, પોથી પૂજન, આરતી અને પૂજાપાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ રાંદલ મહોત્સવમાં માત્ર 4501 માં રજિસ્ટ્રેશન કરાવી શકાશે, જેમાં 2 લોટા રાંદલ, તમામ પૂજાપો, ભૂદેવોની દક્ષિણા અને પ્રસાદી (ભોજન)ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આ આયોજનને સફળ બનાવવા કિરણબેન ઠાકર (જિલ્લા પ્રમુખ), હીનાબેન પંડ્યા, નિશાબેન જોષી, પ્રજ્ઞાબેન ઓઝા, દર્શનાબેન જોષી, નેહલબેન રાવલ, રૂપલબેન શુક્લ, હર્ષાબેન દવે સહિતના બ્રહ્મસમાજ અને રાધે કૃષ્ણ પરિવારના હોદ્દેદારો તેમજ મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ અને સહભાગી સંસ્થાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ધાર્મિક કાર્યમાં જોડાવા અને નામ નોંધાવવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News