મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન


SHARE











મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ મોરબી જિલ્લો તથા રાધે કૃષ્ણ પરિવાર દ્વારા આગામી પવિત્ર ચૈત્ર માસમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને સમૂહ રાંદલ મહોત્સવ યોજાશે.

કથાનો પ્રારંભ તા 11/04 ને શનિવારથી કરવામાં આવશે અને કથાનો સમય બપોરે 3 થી 7 કલાક સુધી રહેશે તેમજ સમૂહ રાંદલ મહોત્સવ તા 14/04 ને મંગળવારે રાખવામા આવેલ છે અને કથા પૂર્ણાહુતિ તા 17/04 ને શુક્રવારના રોજ યોજાશે. આ કથામાં વ્યાસપીઠ પરથી વિદ્વાન ભાગવતાચાર્ય નિખિલભાઈ જોષી (મોરબી) પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે

જે પરિવારો પિતૃઓના મોક્ષાર્થે ભાગવત નથી કરી શકતા, તેવા ભક્તો માટે માત્ર 5001 માં પોથીજી બિરાજમાન કરી આપવામાં આવશે. જેમાં પિતૃપૂજન, પોથી પૂજન, આરતી અને પૂજાપાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ રાંદલ મહોત્સવમાં માત્ર 4501 માં રજિસ્ટ્રેશન કરાવી શકાશે, જેમાં 2 લોટા રાંદલ, તમામ પૂજાપો, ભૂદેવોની દક્ષિણા અને પ્રસાદી (ભોજન)ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આ આયોજનને સફળ બનાવવા કિરણબેન ઠાકર (જિલ્લા પ્રમુખ), હીનાબેન પંડ્યા, નિશાબેન જોષી, પ્રજ્ઞાબેન ઓઝા, દર્શનાબેન જોષી, નેહલબેન રાવલ, રૂપલબેન શુક્લ, હર્ષાબેન દવે સહિતના બ્રહ્મસમાજ અને રાધે કૃષ્ણ પરિવારના હોદ્દેદારો તેમજ મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ અને સહભાગી સંસ્થાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ધાર્મિક કાર્યમાં જોડાવા અને નામ નોંધાવવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News