મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું


SHARE













મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા રાજકોટના મોટીવાવડી ગામે રહેતા યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે વાંકાનેર નજીક વઘાસિયા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ લીધું હોય તેનું મોત નીપજ્યું છે તે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટમાં મોટી વાવડી ખાતે રહેતો પ્રીતકુમાર નંદલાલ ભાલોડીયા (27) નામનો યુવાન મોરબી હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે બાયપાસના ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલા પ્રીતકુમાર ભાલોડીયાને 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનનું રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં ટી.આર.રિફેકટરીઝ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ રામચંદ્ર ભીલ (23) નામનો યુવાને કારખાનામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જગદીશભાઈ કણસાગરા (59) રહે. ધર્મનગર સોસાયટી પંચાસર રોડ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News