સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ યુવાનની નિયમ હત્યા કરીને લાશને સળગાવી દેવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં મુસ્લિમ યુવાનની નિયમ હત્યા કરીને લાશને સળગાવી દેવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને તેની લાશને પીપળી અને બેલા ગામની વચ્ચે બંધ પડેલા કારખાનામાં ખાડામાં સળગાવી દેવામાં આવી હતી જે બનાવમાં મૃતકના દીકરીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 7 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓને પકડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
 
મોરબીમાં રહેતા તાજમહંમદભાઈ ભટ્ટીને જમીનના સોદાના બહાને કારમાં બેસાડીને લાલબાગ સેવા સદન પાસેથી ગત 19 તારીખનાં રોજ બાલુભાઈ અઘારા નામનો શખ્સ લઈ ગયો હતો અને ત્યાર બાદ તાજમહમદભાઇ ગુમ થઈ ગયા હતા જેથી તેના પરિવારે પોલીસને શકદાર તરીકે બાલુભાઈ અઘારાનું નામ આપ્યું હતું ત્યારે બાદ પોલીસે બાલુભાઈ અઘારાની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તાજમહંમદભાઈ ભટ્ટીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી
 
ત્યારે બાદ પોલીસે મૃતક યુવાનના દીકરા રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીની ફરિયાદ લઈને બાલુભાઈ થોભણભાઇ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, ભાવેશભાઈ થોભણભાઈ અઘારા જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આરોપીઓ પૈકીના થોભણભાઈ અઘારા સાથે મૃતકે જમીનના સોદા કરાવેલ હતા અને રૂપિયા મેળવી લીધા હતા જો કે, દસ્તાવેજો કરાવેલ ન હતા જેથી તે બાબતે રૂપિયા કઢાવવા માટે થઈને મૂતક યુવાનને કારમાં બેસાડીને ભડિયાદ નજીક ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા
 
ત્યાર બાદ બાલુભાઇ અઘારા સહિતના આરોપીઓએ તાજમહંમદભાઈને મારમાર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાનની લાશને શિવાય કોલ નામનું કારખાનામા લઈ ગયા હતા અને ત્યાં જમીનમાં ખાડો ખોદીને તેમાં લાશને મૂકીને લાકડા તથા ડીઝલ છાંટીને બોડીને સળગાવી નાખી હતી. આટલુ જ નહીં ખાડો બુરવા માટે ઉપર માટી નાખી હતી અને પછી સિમેન્ટથી ધાબુ કરીને પુરાવાનો નાશ કર્યો હતો. 

આ ગુનામાં બી ડિવિઝન પીઆઇ વી.એન.પરમાર અને તેની ટીમે આરોપી બાલુભાઈ થોભણભાઇ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 3 માર્ચ સુધી એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે અને આ ગુનામાં હજુ બે આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News