સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી બોયઝ હાઇસ્કુલ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન- માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી બોયઝ હાઇસ્કુલ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન- માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને શ્રી રસિકલાલ શેઠ બોયઝ હાઇસ્કુલ મોરબીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન દ્વારા માતૃભાષાનું મહિમાગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક તરીકેની ભૂમિકા ડૉ. અતુલ કે. ધ્રુવએ ભજવી હતી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાંનો ઓડિયો પણ સુજ્ઞ શ્રોતાજનોને સંભળાવેલ હતો. કાર્યક્રમમાં રાજકોટથી કવિ રાકેશ હાંસલીયા તથા દિનેશ કાનાણી અને મોરબીના ડૉ. રામ વારોતરીયા ઉપસ્થિત રહ્યા હતા. અને ત્રણેય કવિઓ દ્વારા સ્વરચિત ઉત્તમ ગઝલો, કાવ્યોનું પઠન  કરવામાં આવ્યું હતું. અને કવિઓની ગઝલ સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતાં. કાર્યક્રમની પૂર્ણાહુતિ  પ્રા. કે.આર. દંગીએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.






Latest News