મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા


SHARE











મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ સ્કૂલ નજીકથી બે સગીર બાળકો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને બાળકોને ઈજા થઇ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને તે પૈકીના એક બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગરમાં રહેતા જય ચેતનભાઇ રાઠોડ (16) તથા ઉમાટાઉનશીપની પાછળના ભાગમાં આવેલ માધવ સોસાયટીમાં રહેતા અર્પિત વિક્રમભાઈ યાદવ (10) નામના બે બાળકોને અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવાની આગળની વધુ તપાસ મોમજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે વધુમાં અકસ્માતમાં ઇજા પામેલા જય રાઠોડના બહેન સાથે ફોન ઉપર વાત થતાં તેઓએ જણાવ્યુ હતું કે, તેનો ભાઈ જય અને તેનો મિત્ર બંને વેજીટેબલ રોડ ઉપર આવેલી યુનિક સ્કૂલ પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા દરમિયાન ત્યાં તેનું બાઇક સલીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં બંને બાળકોને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી રોહીદાસપરા વિસ્તારમાં રહેતો સુરેશ ગંગારામભાઈ કાટીયા (24) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગુલશનબેન સલીમભાઈ સમા (55) નામના મહિલાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી

માર માર્યો

મોરબીના પીપળી ગામે રહેતા મનોજભાઈ જગમલભાઈ ગુર્જર (46) નામના યુવાનને તેની પત્નીએ માર માર્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News