મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબી નજીક આવેલ ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવામાં તાજેતરમાં મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે નવમુ સ્નેહમિલન યોજાયું હતું. આ તકે પ્લે હાઉસથી માંડીને માસ્ટર ડિગ્રી સુધીના વિધાર્થીઓનું  શિલ્ડ, લેપટોપ, બાઇક વિગેરે આપીને સન્માન કર્યું હતું અને બીજા વિવિધ પારિતોષિક પણ આપવામાં આવેલ હતા. તો પરિવારના વિદ્યાર્થીઓ ઉજવાળ કારકિર્દી બનાવે તેના માટે વડીલો, ડોક્ટરો સહિતનાઓએ આશીર્વાદ આપ્યા હતા. આ તકે ડો. ભાવેશભાઈ જેતપરિયાએ પટેલ સમાજના શિક્ષણના જનક સમા પ્રાતઃ સ્મરણીય લક્ષ્મણભાઇ બેચરભાઈ ઉઘરેજા (લક્ષ્મણ બાપા) પર ઉત્કૃષ્ટ પ્રેરણામય વ્યાખ્યાન આપ્યું હતું. આ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં દરેક વખતે અલગ અલગ દાતાઓ હોય છે જો કે, આ વર્ષે સંપૂર્ણ આયોજનના દાતા બાબુભાઈ લાધાભાઈ ઉઘરેજા તથા શ્રીમતી ગોદાવરીબેન બાબુભાઈ (હરીપર) તથા રાજા પરીવાર રહ્યું હતું.






Latest News