ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબી નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર પાવરીયાળી કેનાલ પાસે સાપર ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરતો યુવાન કન્વેયર બેલ્ટની ટોલકીમાં આવી ગયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવડિયાની કેનાલ પાસે આવેલ લીયોના સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સંજયભાઈ રાકેશભાઈ (18) નામનો યુવાન સિરામિક કારખાનામાં કામ કરતો હતો દરમિયાન ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં કન્વેયર બેલ્ટની ટોલકીમાં આવી જવાના કારણે તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

ધોરાજીના રહેવાસી મામદભાઈ કાસમભાઈ ઠેબા (62) નામના વૃદ્ધ બાયપાસ રોડ ઉપર આવેલ વિરાટ હોટલ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

જામનગર જિલ્લાના વીજળીયા કાલાવાડના રહેવાથી નંદુબેન મોહનભાઈ ગોંડલીયા (90) નામના વૃદ્ધા સ્વામિનારાયણ મંદિર પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News