ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : ટંકારા પોલીસ અને એલસીબીએ ગાંધીધામના પડાણામાં થયેલ મર્ડરનો આરોપી દબોચ્યો


SHARE











મોરબી : ટંકારા પોલીસ અને એલસીબીએ ગાંધીધામના પડાણામાં થયેલ મર્ડરનો આરોપી દબોચ્યો
 

મોરબી એલસીબી સ્ટાફ તેમજ ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે વોચ દરમિયાન કચ્છ જીલ્લાના ગાંધીધામમાં આવેલ પડાણા ગામે લેબર કોલોની વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને દબોચી લેવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, ડીવાએસપી રાધિકા ભરાય તેમજ સીપીઆઇ એમ.આર.ગોઢાણીયા દ્વારા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ ડાભીને સુચના આપવામાં આવેલી હતી જે દરમિયાન ટંકારા પોલીસ તેમજ એલસીબીના સ્ટાફને મળેલી બાતમીને આધારે તેઓએ ગોઠવેલ વોચ દરમ્યાન પડાણા મર્ડર કેશના આરોપીને ટંકારા નજીકથી પકડી પાડવામાં આવેલ છે.

ગાંધીધામ જીલ્લાના પડાણા લેબર કોલોનીમાં હત્યાનો બનાવ ગઈકાલના રોજ બનવા પામેલ અને હત્યાના બનાવને અંજામ આપી હત્યા કરનાર આરોપી નાસી ગયેલ હોય જે અનુસંધાને અત્રના જીલ્લામા ચેકપોસ્ટ તથા નાકા પોઇંટ ઉપર સઘન વાહન ચેકીંગ કરીને હત્યા કરી નાસી ગયેલ આરોપીને શોધી કાઢવા સુચના થઈ હતી જે અનુસંધાને પીએસઆઇ એન.બી.ડાભીને હકિકત મળેલ કે ગાંધીધામ પડાણા ખાતે હત્યાને અંજામ આપી નાસી છુટેલ આરોપી સરકારી એસ.ટી.માં બેસીને નાસી છુટેલ છે તે હકિકત મળતા તેઓએ ટંકારા પીએસઆઇ બી.ડી.પરમારને વાકેફ કરતા તેઓએ બાતમી અનુસંધાને મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ કાર્યરત હોય જ્યાં વાહન ચેકિંગ દરમ્યાન એક સરકારી એસ.ટી.બસ ગાંધીધામ-રાજકોટ નીકળતા તેને રોકીને ચેકીંગ કરતા હત્યા કરી નાસી ગયેલ શંકાસ્પદ આરોપી અરવિંદભાઈ કરણભાઈ અઠીયા (ઉ.વ .૨૩) હાલ રહે.પડાણા તા.જી ગાંધીધામ(કચ્છ) મુળ રહે.બોહસસા જી.ધમો એમપી મળી આવતા તેની કડક પુછપરછ કરતા પોતે ગાંધીધામ પડાણા ખાતે લેબર કોલોનીમા એક ઇસમની હત્યા કરીને નાસી છુટેલ હોવાની કબુલાત આપતા તેને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ તપાસ માટે ગાંધીધામ પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરી પીએસઆઇ એન.બી.ડાભી તથા બી.ડી.પરમાર તેમજ પોલીસ સ્ટાફના વિજયભાઈ બાર, જયદેવસિહ ઝાલા, રાજેશભાઈ ડાંગર, સતિષભાઈ બસીયા તથા મોરબી જીલ્લા એલસીબી ટીમ અને ટંકારા પોલીસ ટીમે સંયુક્તપણે કામગીરી કરી હતી.






Latest News