મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નોટરી એસોસીએશને સરકારના ત્રણ વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી જાહેર કરવાના બીલનો ઉગ્ર વિરોધ કર્યો


SHARE











મોરબી નોટરી એસોસીએશને સરકારના ત્રણ વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી જાહેર કરવાના બીલનો ઉગ્ર વિરોધ કર્યો

તાજેતરમાં ભારત સરકાર દ્રારા સુચીત નોટરી એમેન્ડમેન્ટ બીલ-૨૦૨૧ ના અનુસંધાને તે બીલનો વિરોધ નોંધાવવા માટે મોરબી નોટરી એસોસીએશન દ્રારા નોટરીઓના અભીપ્રાયો સુચનો મંગાવવામા આવેલ તેમજ આ સુચીત એમેન્ડમેન્ટ બીલના વિરોધમા મોરબી જીલ્લાના નોટરીઓમા ઘેરા પ્રત્યાઘાતો પડેલા હોય તે બીલનો સખત વિરોધ નોંધાવવા માટે મોરબી જીલ્લાના નોટરીઓ દ્રારા મોરબી નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ અને આ અંગે ઉચ્ચસ્તરીય લડત આપવાનુ પણ આયોજન ક૨વામા આવેલ છે.આ તકે મોરબી નોટરી એસોસીએશનના પ્રમુખ ભાવેશ ડી.ફુલતરીયા, ઉપપ્રમુખ એલ.પી.ચાવડા અને કે.ડી.મુછડીયા તેમજ સેક્રેટરી આર.જી.ભાગીયા તેમજ મોરબી બાર એસોસીએશનના પ્રમુખ દિલીપભાઇ અગેચાણીયા નોટરી બી.કે.ભટ્ટ, નોટરી અશોકભાઈ સરડવા સહિતના નોટરીઓ હાજર રહ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ તાજેતરમાં સરકાર દ્વારા જે નોટરીઓના સંદર્ભમાં જે નવું બીલ લાવવામાં આવી રહ્યુ છે તે અંતર્ગત જે કોઇ વ્યક્તિને નોટરી તરીકે ડિગ્રી ઇસ્યુ કરવામાં આવે તેને પાંચ વર્ષની મર્યાદા માટે ઇસ્યુ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તે નોટરીને માત્ર બે વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી તરીકે જાહેર કરાશે તેનો નવા બીલમાં ઉલ્લેખ હોય તે વાતને લઇને વિરોધ નોંધાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. એટલે કે લોકોને ૧૫ વર્ષથી જુના અને અનુભવી નોટરીઓનો લાભ મળશે નહીં તેમજ જે કોઈ વ્યક્તિ નોટરી તરીકે કાર્યરત છે અને જો તે નોટરીના કામની સાથે જો વકીલાત ન કરતા હોય અને તેમનો નોટરી સમય પુરો થાય ત્યારે તેમને વકીલાત શરૂ કરવામી થાય તો તેને લઇને આર્થિક પ્રશ્નો પણ ઊભા થાય તેવા પ્રકારના આ સરકારી બિલમાં સુધારા હોવાના કારણે હાલમાં નોટરીઓ દ્વારા સરકારના નવા આવી રહેલા નોટરી કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.






Latest News