મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા કે.ડી.બાવરવાની કોંગ્રેસ પક્ષમાં સતત અવગણના કરવામાં આવતા તમામ હોદાઓ ઉપરથી મૂક્યું રાજીનામું


SHARE







મોરબીમાં રહેતા કે.ડી.બાવરવાની કોંગ્રેસ પક્ષમાં સતત અવગણના કરવામાં આવતા તમામ હોદાઓ ઉપરથી મૂક્યું રાજીનામું

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખની સ્થાનિક નેતાઓ અને સંગઠન દ્વારા સતત અવગણના કરવામાં આવતી હતી જેની રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ દ્વારા તેઓના પદ અને કોંગ્રેસનાં સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં આવેલ છે.

મોરબીના નવા બસસ્ટેન્ડ સામે રાજધાની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા કાંતિલાલ ધરમશીભાઈ બાવરવા (કે.ડી. બાવરવા)ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં પોતાનું રાજીનામું મોકલવી આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ છે તે પદ અને કોંગ્રેસ પક્ષ ના પ્રાથમિક સભ્ય પદેથી તેઓ રાજીનામું આપે છે. વધુમાં તેમણે લખ્યું છે કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિથી તેઓને કોઈ ફરિયાદ નથી આટલા વર્ષો કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યો છું. અને મને આપવામાં આવેલ દરેક કામને નિષ્ઠાપુર્વક કરવાનો  પ્રયત્ન કર્યો  છે.  છતાં પણ મારી ક્યાંક કચાસ રહેવા પામી હોય તો માફી માગું છું. જો કે, સ્થાનિક નેતાઓ તેમજ સ્થાનિક સગઠન તરફથી તેઓની સતત અવગના થતી હોય તે અંગેની વારંવાર સક્ષમ કક્ષાએ રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું જેથી તેઓએ પોતાના પદ અને કોંગ્રેસનાં સભ્ય પદેથી રાજીનામું આપી દીધેલ છે.






Latest News