મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જેલ હવાલે


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જેલ હવાલે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પરિવારની સગીરવયની દીકરીનું લગ્નની લાલચ આપી ભોળવીને અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મુળ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની ૧૫ વર્ષની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી જવામાં આવેલ જે અંગે ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સુખદેવ ઘનશ્યામભાઈ ખાંભળીયા રહે.સુંદરગઢ તા.હળવદ જી.મોરબી સામે ફરિયાદ નોંધાવેલ જે બનાવમાં એસસીએસટી સેલના ડીવાયએસપી દલવાડી તથા સ્ટાફે સુખદેવ ઉર્ફે નાનો ઘનશ્યામભાઇ ખાંભળીયા કોળી (૨૧) રહે.સુંદરગઢ હળવદની અપહરણ, દુષ્કર્મ, પોકસો, એસ્ટ્રોસીટી સહિતની કલમો હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના સાપર ગામે રહેતા રાજુબેન રમેશભાઈ હમીરપરા (40) નામના મહિલા ગામના બસ સ્ટેશન પાસે હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેઓને ઇજા તથા તેને સારવાર માટે જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
બે વ્યક્તિને ઈજા થતા સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ રહેતા કમલભાઈ બાબુભાઈ ભુરીયા (32) અને ક્રિષ્ના ગુમાનભાઈ ડાવર (38) નામના બે વ્યક્તિ સિરામિક સિટીમાં કામ કરતા હતા દરમિયાન કોઈ કારણસર માટે અકસ્માતમાં ઇજા થતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના ચાંચાપર ગામે રહેતો વનરાજ અરવિંદભાઈ સોલંકી (21) નામનો યુવાન ગામમાં હતો ત્યારે ત્યાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલમાં લઈને લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની જાણ કરવામાં આવી હતી.






Latest News