મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા


SHARE









તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા

તાઝાનિયામાં ભયંકર રોડ અકસ્માત થયો હોવાના સમાચારો મળી રહ્યા છે.બે બસ અથડાવાના આ બનાવમાં હાલ મળતી માહીતી મુજબ ૩૮ લોકોના મોત થયા છે જયારે ૩૦ થી વધુ લોકોને ઇજા હોય સારવારમાં લઇ જવાયા છે.આ અકસ્માત તા.૨૮ ને શનિવાર સાંજે ત્યાંના કિલીમાંજારો વિસ્તારના મોશી-ટાંગા હાઈવે ઉપર આવેલા સબસબા વિસ્તારમાં બની હતી.બનાવની વધુ વિગતો મુજબ બે બસ એકમેકની સાથે અથડાઇ હતી.બાદમાં તેમા આગ લાગી ગયેલ જેથી મૃત્યુ આંક વધ્યો હતો.આ બનાવમાં મૃત્યુ પામેલા લોકોની રાષ્ટ્રીયતા અંગે હાલ માહિતી પ્રાપ્ત થયેલ નથી.તેમજ ઈજા પામેલ લોકોને ત્યાંની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર માટે લઇ જવાયા હતા.

અકસ્માતની આ ઘટના બાબતે તાંઝાનિયામાં શોકનું મોજુ વ્યાપી ગયુ હતુ.તેમજ તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુહુલુ હસને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતુ.






Latest News