સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા


SHARE











તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા

તાઝાનિયામાં ભયંકર રોડ અકસ્માત થયો હોવાના સમાચારો મળી રહ્યા છે.બે બસ અથડાવાના આ બનાવમાં હાલ મળતી માહીતી મુજબ ૩૮ લોકોના મોત થયા છે જયારે ૩૦ થી વધુ લોકોને ઇજા હોય સારવારમાં લઇ જવાયા છે.આ અકસ્માત તા.૨૮ ને શનિવાર સાંજે ત્યાંના કિલીમાંજારો વિસ્તારના મોશી-ટાંગા હાઈવે ઉપર આવેલા સબસબા વિસ્તારમાં બની હતી.બનાવની વધુ વિગતો મુજબ બે બસ એકમેકની સાથે અથડાઇ હતી.બાદમાં તેમા આગ લાગી ગયેલ જેથી મૃત્યુ આંક વધ્યો હતો.આ બનાવમાં મૃત્યુ પામેલા લોકોની રાષ્ટ્રીયતા અંગે હાલ માહિતી પ્રાપ્ત થયેલ નથી.તેમજ ઈજા પામેલ લોકોને ત્યાંની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર માટે લઇ જવાયા હતા.

અકસ્માતની આ ઘટના બાબતે તાંઝાનિયામાં શોકનું મોજુ વ્યાપી ગયુ હતુ.તેમજ તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુહુલુ હસને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતુ.






Latest News