મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે


SHARE







મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે

26 જૂન  વિદ્યુત સલામતી દિવસ તરીકે ઊજવવામાં આવે છે ત્યારે કર્મચારીઓ તેમજ જનસમુદાયમાં વીજ સલામતી માટે માહિતી અને સતર્કતા આવે તે હેતુ થી તા: ૨૬/૦૬ થી ૦૨/૦૭ દરમિયાન આજની જાગૃતિ, આવતીકાલનું નિવારણ થીમ પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતીની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં વીજ સલામતીનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોચાડવા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા મથકે બેનરો, પેમ્ફલેટ તેમજ સ્કૂલ/ કોલેજના વિધાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.

 

અત્રેની કચેરી હેઠળના વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિના અભિયાન/ કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ તેમજ વીજ સલામતી બાબતે જન જાગૃતિ કેળવવા માટે વિવિધ પ્રવૃતિઓ નું  આયોજન કરેલ છે તેમજ તા-૨/૦૭/૨૦૨૬ નાં રોજ મોરબી પીજીવીસીએલ દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા વીજ સલામતી બાબતે સામાન્ય જનતાને અવગત થાય તેમજ હાલમાં પ્રધાન મંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો વધુને વધુ લોકોને ફાયદો મળે તે માટે અવગત કરવાના પ્રયાસ કરવા અંગે નું આયોજન કરેલ છે.






Latest News