મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીની ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી


SHARE















મોરબીની ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી

મોરબી અને માળીયા તાલુકાનાં ખેડુતોને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી આપવાની મુખ્યમંત્રીએ જાહેર કરેલ છે જો કે, હજુ સુધી ખેડૂતોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી મળી રહ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વહેલી તકે ખેડૂતોને પાણી આપવાની માંગ કરી છે અને જો તા 5/6 સુધીમાં પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ સૌરાષ્ટ્ર શાખાના હેડ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ  છે કે, મોરબી જીલ્લાના શાપર, જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા, કેરાળા (હ), હરિપર (કે), જીવાપર (ચ), ચકમપર, જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, ગુંગણ, રાપર, રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ ફતેપર, માળીયા, વીરવદરકા, વાધરવા, માણાબા, ખાખરેચી, સુલતાનપુર, નવાગામ, કુંભારીયા, રોહીશાળા, વેજલપર, જુના ઘાટીલા, સુવવાવ, નવા ઘાંટીલા,, જુના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર સહિતના ગામોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી કેનાલ મારફત પુરૂ પાડવા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. તેમ છતાં પણ આજ દિન સુધી આ ગામોને આગોતરા વાવેતર માટે કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી આપવામાં આવેલ નથી. જેથી ખેડુતો આગોતરા વાવેતર કરી શક્ય નથી. માટે ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી છોડીને તાત્કાલિક ખેડૂતોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને આગામી તા.5/6/25 સુધીમાં સિંચાઈ માટેનું પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો લાગુ પડતાં તમામ ગામોના ખેડુતોને સાથે રાખી હળવદ-કચ્છ હાઈવે ઉપર બેસી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News