મોરબીની ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી
SHARE








મોરબીની ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી
મોરબી અને માળીયા તાલુકાનાં ખેડુતોને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી આપવાની મુખ્યમંત્રીએ જાહેર કરેલ છે જો કે, હજુ સુધી ખેડૂતોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી મળી રહ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વહેલી તકે ખેડૂતોને પાણી આપવાની માંગ કરી છે અને જો તા 5/6 સુધીમાં પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ સૌરાષ્ટ્ર શાખાના હેડ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના શાપર, જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા, કેરાળા (હ), હરિપર (કે), જીવાપર (ચ), ચકમપર, જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, ગુંગણ, રાપર, રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ ફતેપર, માળીયા, વીરવદરકા, વાધરવા, માણાબા, ખાખરેચી, સુલતાનપુર, નવાગામ, કુંભારીયા, રોહીશાળા, વેજલપર, જુના ઘાટીલા, સુવવાવ, નવા ઘાંટીલા,, જુના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર સહિતના ગામોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી કેનાલ મારફત પુરૂ પાડવા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. તેમ છતાં પણ આજ દિન સુધી આ ગામોને આગોતરા વાવેતર માટે કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી આપવામાં આવેલ નથી. જેથી ખેડુતો આગોતરા વાવેતર કરી શક્ય નથી. માટે ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી છોડીને તાત્કાલિક ખેડૂતોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને આગામી તા.5/6/25 સુધીમાં સિંચાઈ માટેનું પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો લાગુ પડતાં તમામ ગામોના ખેડુતોને સાથે રાખી હળવદ-કચ્છ હાઈવે ઉપર બેસી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

