મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત


SHARE











મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત

મોરબીના વોર્ડ નં-5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીના લોકોએ મહાપાલિકામાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ત્યાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જોખમી રીતે ઊભું છે જે ક્ષતિગ્રસ્ત મકાનના માલિકો હાલમાં આફ્રિકા રહે છે જેથી ચોમાસામાં આ મકાન લોકો માટે જીવલેણ કે જોખમી સાબિત થયા તે પહેલા તેણે તોડી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબી મહાપાલિકાએ આ મકાનને બાકી વેરા માટેની નોટિસ પણ આપી હતી અને ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત મકાનની છત પણ થોડા સમય પહેલા તૂટી પડી હતી ત્યારે સદનસીબે મકાનમાં કોઈ હતું નહીં જેથી જાનહાનિ થયેલ ન હતી જો કે, ચોમાસામાં કોઈ ઘટના બને તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News