મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા


SHARE







મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા

મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે સરકારી ખરાબની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તે દબાણ કરનારા લોકોને જાતે દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ કેટલાક દબાણકારોએ તેના દબાણ દૂર કર્યા ન હતા જેથી શુક્રવારે સરકારી બુલડોઝર ફેરવીને 10 જેટલા કાચા પાકા દબાણ દૂર કરવામાં આવ્યા છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવે છે

મોરબી શહેર અને જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર સરકારી ખરાબની જગ્યાઓ તેમજ રોડ સાઈડમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણોને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી તાલુકા મામલતદારને ટીમ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે બુલડોઝર સાથે પહોંચી હતી અને ત્યાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દસ જેટલા કાચા પાકા દબાણોને તોડી પાડીને 15 એકર જેટલી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવેલ છે.

વધુમાં અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે 15 જેટલા દબાણો સ્થળ ઉપર હતા જે દબાણકારોને અગાઉ જાતે દબાણ હટાવવા માટે નોટિસ આપી હતી જે પૈકીના પાંચ જેટલા દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લીધા હતા જો કે, 10 દબાણકારોએ તેમના દબાણ તોડ્યા ન હતા જેથી સરકારી જેસીબી ફેરવીને તે દબાનોને તોડી પાડવામાં આવ્યા છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે. આવી જ રીતે આગામી સમયમાં જાંબુડીયા અને ત્રાજપર વિસ્તારમાં પણ દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News