સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા


SHARE











મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા

મોરબીના લોકો પાણી નિયમિત રીતે મળતું રહે તેના માટે મહાપાલિકા દ્વારા મચ્છુ-2 ડેમ હેડ વર્કસ ખાતે 250 એચપી ના નવા 2 પંપ મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને તેનું કનેક્શન જીડબલ્યુએસએસબીની ચાલુ લાઈનમાં શટડાઉન લઈને કરવાનું છે જેથી કરીને મોરબીમાં આગામી ગુરુ અને શુક્રવારે બે દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે.

મોરબી મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છેકે, મચ્છુ-2 ડેમમાંથી મોરબીના લોકોને પીવા માટેનું પાણી સ્પ્લાઈ કરવામાં આવે છે જો કે, ત્યા મહાપાલિકા દ્વારા મચ્છુ-2 ડેમ હેડ વર્કસ ખાતે 250 એચપી ના નવા 2 પંપ મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામ તા. 14 ના રોજ સવારે 8 થી રાતના 8 સુધીમાં કરવામાં આવશે. જેથી કરીને મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડવાની કામગીરી તા. 12 ના બપોરના 12 થી તા. 15 ના રોજ સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી કરીને સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થતા 48 કલાક જેટલો સમય લાગશે જેથી તા. 15 અને 16 એટ્લે કે ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે.






Latest News