મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા


SHARE











મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા

મોરબીના લોકો પાણી નિયમિત રીતે મળતું રહે તેના માટે મહાપાલિકા દ્વારા મચ્છુ-2 ડેમ હેડ વર્કસ ખાતે 250 એચપી ના નવા 2 પંપ મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને તેનું કનેક્શન જીડબલ્યુએસએસબીની ચાલુ લાઈનમાં શટડાઉન લઈને કરવાનું છે જેથી કરીને મોરબીમાં આગામી ગુરુ અને શુક્રવારે બે દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે.

મોરબી મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છેકે, મચ્છુ-2 ડેમમાંથી મોરબીના લોકોને પીવા માટેનું પાણી સ્પ્લાઈ કરવામાં આવે છે જો કે, ત્યા મહાપાલિકા દ્વારા મચ્છુ-2 ડેમ હેડ વર્કસ ખાતે 250 એચપી ના નવા 2 પંપ મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામ તા. 14 ના રોજ સવારે 8 થી રાતના 8 સુધીમાં કરવામાં આવશે. જેથી કરીને મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડવાની કામગીરી તા. 12 ના બપોરના 12 થી તા. 15 ના રોજ સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી કરીને સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થતા 48 કલાક જેટલો સમય લાગશે જેથી તા. 15 અને 16 એટ્લે કે ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે.






Latest News