મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા


SHARE













મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા

મોરબી જિલ્લામાં સોમવારે પડેલા કમોસમી વરસાદના કારણે જુદી જુદી જગ્યાએ નાના મોટી નુકસાની થાય છે ત્યારે જો વાત મોરબીના મીઠા ઉદ્યોગની કરીઓ તો હાલમાં મીઠા ઉદ્યોગમાં તૈયાર પાક હતો તેના ઉપર મીઠું પાણી પડવાના કારણે મીઠાના ઉદ્યોગને નુકસાન થયું છે તેમજ મીઠાના અગરમાં ઊભા કરવામાં આવેલ વીજ પોલ ઘણી જગ્યાએ તૂટી પડ્યા છે જેથી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયેલ છે.

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરમાં મીઠાની હાલમાં સિઝન ચાલી રહી છે તેવામાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરોમાં તૈયાર મીઠાના પાક ઉપર આકાશમાંથી મીઠું પાણી પડ્યું છે જેથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ બાબતે મોરબી સોલ્ટ એસો.ના પ્રમુખ દિલુભા જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માળિયા તાલુકાના બગસરા, જાજાસર, ભાવપર, સૂરજબારી હરીપર સહિતના વિસ્તારોમાં મીઠા ઉદ્યોગમાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને મીઠાના અગરમાં વરસાદનું પાણી ભરાવાના કારણે મીઠાના તૈયાર પાકને નુકસાન થયું છે. જો કે, કેટલું નુકસાન થયું છે તે હાલમાં કહી શકાય નહીં. અને મીઠાના અગરોમાં ઊભા કરવામાં આવેલા વીજ પોલમાંથી ઘણા વીજ પોલ તૂટી પડ્યા છે જેથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયેલ છે. અને વીજ કંપનીના અધિકારીના કહેવા મુજબ માળીયાના હરિપરની આસપાસમાં 10 જેટલા વીજ પોલ તૂટી પડ્યા છે. જેને રીપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈપણ જગ્યાએ વીજ પોલ કે વીજ વાયર તૂટી ગયા હશે તો તેને પણ ઝડપથી રિપેર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News