મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબી નજીક રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઘૂટું ગામની સીમમાં કેનાલ પાસેથી યુવાને રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રિક્ષામાં આગળના ભાગે આગ લાગતા તે યુવાન શરીરે દાઝી ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતાં તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે અને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો વસંતભાઈ અમરશીભાઈ ચાવડા (35) નામનો યુવાન ગત તા. 1/4/ 25 ના રોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરેથી મોરબી બાજુ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2003 લઈને આવી રહ્યો હતો દરમિયાન મોરબી ઘૂટું ગામ પાસે આવેલ નર્મદાની કેનાલ પાસે તેની રીક્ષા પહોંચી હતી ત્યારે કોઈ કારણોસર રિક્ષામાં આગળના ભાગમાંથી આગ લાગી હતી જેથી કરીને વસંતભાઈ ચાવડા ગંભીર રીતે શરીરે દાઝી ગયા હતા માટે તેને સારવારમાં પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર ચાલી રહી હતી દરમિયાન ગઈકાલ તા. 7/4/25 ના રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ હરેશભાઈ અમરશીભાઈ ચાવડા (34) રહે આંદરણા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News