મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ગુજરાતમાં બસ ભાડા-ટોલટેક્સમાં કરાયેલ વધારો પાછો ખેચવાની માંગ: કાન્તિલાલ બાવરવા


SHARE











ગુજરાતમાં બસ ભાડા-ટોલટેક્સમાં કરાયેલ વધારો પાછો ખેચવાની માંગ: કાન્તિલાલ બાવરવા

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ દ્વારા લોકોના હિટના ધ્યાને રાખીને સરકારે બસ ભાડા અને ટોલટેક્સમાં જે વધારો કર્યો છે તેને પાછો ખેચવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કેગુજરાત સરકાર દ્વારા બસભાડામાં વધારો જાહેર કરવામાં આવેલ છે. મોટા ભાગે બસમાં મુસાફરી કરનાર મજુર વર્ગ, નાના નોકરિયાતોનાના ધંધાર્થીઓ તેમજ માધ્યમ વર્ગના લોકો હોય છે. જેથી કરીને આ ભાવ વધારો નાના તથા માધ્યમ આવક વાળા લોકોના બજેટને અસર કરનાર સાબિત થશે. જેથી તેને પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરેલ છે અને આ ઉપરંત સરકાર  દ્વારા ટોલટેક્સ વધારો કરવામાં આવેલ છે. તે લોકોના જીવન જરૂરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટને  મોંઘુ કરનાર સાબિત થશેઅને મોંધવારી વધશે જેથી કરીને ટોલટેક્સ વધારો પાછો ખેચવાની માંગ કરેલ છે.






Latest News