મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર


SHARE













માળીયા (મી)ના વવાણીયા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

માળીયા(મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકડાયેલ આરોપીના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમા આરોપીના વકીલની દલીલને ધ્યાને લઇને મોરબીની સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે

થોડાક દિવસો પહેલા માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધાયેલ હતી જેમા જણાવ્યુ હતુ કે, ફરીયાદીના દીકરા વસીમભાઈ તથા આરોપી અસલમભાઈ મોવર તથા જાવેદ જેડા એમ ત્રણેય વવાણીયા ગામની સીમમા શીકાર કરવા ગયેલ હતા ત્યારે અરજદાર આરોપી અસલમે ઝાડી મા છુપાવેલી દેશી બનાવટની બંધુક કાઢી હતી અને શીકારની રાહમા હતા દરમ્યાન શીકાર આવી જતા ફરીયાદીના દીકરાએ પોતે બંધુક લઈ શીકાર કરવા જતા અસલમ અને જાવેદે તેને અટકાવેલ અને અમારે શીકાર કરવો હોઇ જેથી બોલાચાલી ઝગડો થયેલ હતો જેનુ મન દુખ રાખી જાવેદ જેડા એ ફરીયાદીના દીકરાને બંધુકમાથી ભડાકો કરી શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવેલ હતુ જેથી બે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં આરોપીઓ પૈકી અસલમ ઉર્ફે ફારૂક ગફુરભાઈ મોવર દ્વારા મોરબી સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી. જે અન્વયે આરોપીના વકીલ જયદીપ બી. પાંચોટીયા તેમજ ગીરીશ બી. અંબાણીની ધારદાર અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.






Latest News