મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ


SHARE











મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલ છે જે ઉનાળુ પાક લેવા માટે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે જો કે, નર્મદની કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવનાર છે જેથી કરીને મોરબી અને માળિયા શાખા નહેરમાં 15 માર્ચથી બે મહિના સુધી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. જેથી ખેડૂતને આ કેનાલમાંથી પાણી મળશે નહીં માટે કેનાલ આધારે કોઈ પણ ખેડૂતે તેના ખેતરમાંથી ઉનાળુ પાક લેવા માટે વાવેતર કરવું નહીં તેવી અપીલ નર્મદા નિગમના અધિકારી દ્વારા કરવામાં આવેલ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં નર્મદની કેનાલથી ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે જો કે, સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યક્ષેત્ર હેઠળ આવતી અને સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર તથા અમદાવાદ જીલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની મોરબી શાખા નહેર, માળીયા શાખા નહેર તથા વિવિધ નહેરોમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતાં ખાતેદારોને નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે કે, આ શાખા નહેરોમાં તા.15/3/2025 થી બે મહિના સુધી પાણી છોડવામાં આવશે નહીં.

જેથી આ નહેરો ઉપર આધાર રાખીને ખેડૂતોએ ઉનાળુ પાક લેવા માટેનું કોઈપણ પાકનું વાવેતર કરવું નહીં. અને આ કેનાલમાં પાણી છોડવવા માટે કોઈ આગ્રહ રાખવો નહી. આમ છતાં પણ જો કોઈ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવશે તો તેના માટેની કોઈ જવાબદારી નર્મદા નિગમની રહેશે નહી અને પાક નિષ્ફળ જવા બાબતે ખેડુતનો કોઈ પણ પ્રકારનો દાવો માન્ય રાખવામાં આવશે નહી.

આ અંગે મોરબી શાખાના અધિકારી પી.ડી.વસાવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી લઈ 15 મે સુધી નર્મદની કેનાલનું રિપેરિંગ કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ કેનાલમાં પાણી છોડવામાં આવશે નથી. માટે જે ખેડૂતો સંપૂર્ણ રીતે કેનાલ ઉપર ઉનાળુ પાક લેવા માટે વાવેતર કરશે તેને નુકસાન જાય તેવી શક્યતા છે જેથી કરીને નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને આગોતરી જાણ કરવામાં આવેલ છે.






Latest News