મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિર યોજાશે


SHARE











મોરબી જિલ્લામાં સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિર યોજાશે

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડી ખાતે આગામી તા. 5/3 ના સવારના 9 કલાકના બ્લડ ડોનેશન કેમ્પનું આરોગ્ય શાખા- જિલ્લા પંચાયત મોરબી અને જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ- મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 18 થી 65 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય અને ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. ધરાવતી કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રકતદાન કરનાર વ્યક્તિનું હિમોગ્લોબીનનું પ્રમાણ 12.5 જી/ડીએલ થી વધારે હોવું જોઈએ. તેમજ દર ત્રણ મહિને રક્તદાન કરી શકાય છે. રકતદાન થકી આપણે કોઈનું અમૂલ્ય જીવન બચાવવાની યાત્રામાં સહયોગી બની શકીએ છીએ. ઉક્ત રકતદાન શિબિરમાં સ્થાનિકો સહિત આસપાસના વિસ્તારમાંથી નાગરિકો મહત્તમ સંખ્યામાં ભાગ લે તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી, ટંકારા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News