મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનમાં આવેલ દુકાનો, કેંટિંગ, પાર્કિંગના ભાડૂઆતો પાસેથી જગ્યા ખાલી કરાવાઈ: નવા કોન્ટ્રાકટની તજવીજ શરૂ


SHARE











મોરબીના નવા બસ સ્ટેશનમાં આવેલ દુકાનો, કેંટિંગ, પાર્કિંગના ભાડૂઆતો પાસેથી જગ્યા ખાલી કરાવાઈ: નવા કોન્ટ્રાકટની તજવીજ શરૂ

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં બનાવવામાં આવતી દુકાનોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભાડે આપવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની 48 દુકાનો, કેન્ટીન અને પાર્કિંગ ભાડે આપવામાં આવ્યા હતા જોકે, જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેને હવે કોન્ટ્રાક્ટ રાખવો નથી તેવું એસટી વિભાગને લેખિતમાં આપી દીધું હતું જેથી કરીને હાલમાં જે ભાડૂઆતો દુકાનોમાં હતા તેની પાસેથી ગતરાત્રિના સમયે એસટી વિભાગ દ્વારા દુકાનોને ખાલી કરાવવામાં આવી છે અને નવું ટેન્ડર બહાર પાડીને નવી એજન્સીને કામ આપવા માટેની અધિકારીઓ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

મોરબી શહેરના સનાળા રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે એસટી વિભાગ દ્વારા નવા બસ સ્ટેશનનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે જેમાં કુલ 48 જેટલી દુકાનો બનાવવામાં આવેલ છે અને આ 48 દુકાનો, કેન્ટીંગ તથા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો જોકે જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા એસટી વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, તેઓ હવે આ કોન્ટ્રાક્ટ આગળ ચાલુ રાખવા માંગતા નથી જેથી કરીને આ દુકાનો, કેંટિંગ અને પાર્કિંગનું નવું ટેન્ડર બહાર પાડીને નવી એજન્સીને કામ આપવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે.

તેવામાં એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગઈકાલે રાત્રે 12 વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં જે 48 દુકાનો, કેન્ટીંગ અને પાર્કિંગ ભાડે આપવામાં આવ્યા હતા તેમાં જે ભાડુંઆતો હતા તેઓને દુકાનો સહિતની મિલકતો ખાલી કરાવી હતી. આ અંગે એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા કોન્ટ્રાક્ટ આગળ ચાલુ રાખવા માંગતા નથી તેવું લેખિતમાં આપવામાં આવ્યું હતું જેથી ગતરાત્રિના તમામ દુકાનો સહિતની ભાડુઆતી જગ્યા ખાલી કરવામાં આવી છે અને આ બસ સ્ટેશનની મિલકતોને ભાડે આપવા માટે નવેસરથી કોન્ટ્રાક્ટ આપવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.






Latest News