ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજા રાજાણી પરિવાર દ્વારા નવચંડીયજ્ઞનું આયોજન: વિરપરડામાં રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE











મોરબીમાં રાજા રાજાણી પરિવાર દ્વારા નવચંડીયજ્ઞનું આયોજન: વિરપરડામાં રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબીમાં રાજા રાજાણી પરિવારના કુળદેવી શ્રી જળમાયુ માતાજીના નવચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા. 23-2-2025 ને રવિવારના રોજ આ યજ્ઞનો સવારે 7:30 કલાકે શરૂ કરવામાં આવશે અને બપોરના 12 કલાકે ફરાળ પ્રસાદ, તેમજ સાંજે 4 કલાકે બિડુ હોમવામાં આવશે. તેમજ યજ્ઞ પૂર્ણ થયા બાદ સાંજે સમૂહ પ્રસાદ લેવામાં આવશે. ત્યારે સર્વે રાજા રાજાણી પરિવારને યજ્ઞનો લાભ લેવા શ્રી જળમાયુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિરપરડા ગામે રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
મોરબીના વિરપરડા ગામે આવેલા રાજબાઈ માતાજીના મંદિરે તા. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર આયોજિત રાજબાઈ માતાજીના પ્રાગટ્ય દિવસે રાસ ગરબા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા 28 ના રોજ રાતે 9 કલાકે ઓરિયા પરિવારના તમામ કલાકાર અને રાજલ સાઉન્ડના સથવારે રાસ ગરબા યોજાશે. અને 1 માર્ચને શનિવારે સવારે 8 કલાકથી યજ્ઞ અને બાદમાં 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે.






Latest News