મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનની સબસિડી ચુકવવા ગ્રાહક અદાલતનો આદેશ


SHARE











મોરબીમાં મકાનની સબસિડી ચુકવવા ગ્રાહક અદાલતનો આદેશ

મોરબીના વતની હિમાંશુભાઈ ભગવાનજીભાઈ મકવાણાએ જેતપર રોડ પર આવેલી માનસધામ સોસાયટીમાં મકાન લીધું હતું અને મકાનની લોન એક્સીસ બેંક લોન સેન્ટરમાંથી લીધી હોય બેંકે મળવાપાત્ર સબસિડી આપવાની ના પડી હતી જેથી કરીને મકાન માલીક દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં અદાલતે હિમાંશુભાઈને સબસિડીના રૂપિયા ચુકવી દેવા માટેનો આદેશ કર્યો છે.

આ કેસની લાલજીભાઇ મહેતાએ આપેલ માહિતી મુજબ ફરિયાદી હિમાંશુભાઈ મકવાણાએ મકાન પર 7.35 લાખની લોન એક્સીસ બેંક લોન સેન્ટરમાંથી લીધી હતી. અને સરકારના નિયમ મુજબ 2.67 લાખ રૂપિયા સબસિડી આ મકાન પર મળશે તેવું બેંકના કર્મચારી ચિરાગભાઈ ભોજાણીએ કહ્યું હતું. જેથી હિમાંશુભાઈએ તમામ પેપર સબમિટ કર્યા હતા. પરંતુ એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં સબસિડી આપવામાં આવેલ નથી જેથી કરીને ફરિયાદીએ હોમ લોન વિભાગના વડા નારણદાસનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે સબસિડી માટે લોગઈન કરવાની પ્રક્રિયા બેંકે કરવાની હોય છે અને ગ્રાહકને સબસિડી માટે મદદ કરવાની હોય છે. પરંતુ બેંકની સેવામાં ખામી હોય સબસિડી મળેલ નથી જેથી કરીને હિમાંશુભાઈએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કર્યો હતો અને ત્યારે બાદ સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં અદાલતે એક્સીસ બેંકને રૂપિયા 2.67 લાખ રૂપિયા અને 10 હજાર માનસિક ત્રાસના આમ કુલ મળીને 2.77 લાખ રૂપિયા 9 ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે.






Latest News