મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મતદાન તેમજ મત ગણતરી દિવસ નિમિતે ડ્રાય ડે જાહેર કરાયો


SHARE







મોરબી જિલ્લામાં મતદાન તેમજ મત ગણતરી દિવસ નિમિતે ડ્રાય ડે જાહેર કરાયો

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ નિમિતે આગામી તારીખ ૨૧-૨-૨૫ ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણીપંચની સ્થાયી સુચના અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ચૂંટણીપંચની સૂચના મુજબ ચૂંટણી હેઠળના આજુબાજુના વિસ્તારોમાંથી એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલાં ભરવા તેમજ ‘’ડ્રાય ડે’’ જાહેર કરવો આવશ્યક જણાય છે.હાલમાં મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવેલ છે. તેને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી, મોરબી દ્વારા ‘’ડ્રાય ડે’’ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તા.૧૪-૨ ના સાંજના ૬ કલાકથી તા.૧૬-૨ ના સાંજના ૬ કલાક સુધી તેમજ મતગણતરીના દિવસે એટલે કે, તા.૧૮-૨-૨૫ ના સમગ્ર દિવસ દરમિયાન "ડ્રાય ડે" જાહેર કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી લીકર શોપ, હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબ જેવા પરવાનેદારો દ્વારા દારૂનું વેચાણ, પીરસવા, સંગ્રહ કરવા પર તેમજ વ્યક્તિગત રીતે દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પર પરમીટ ધરાવતા વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર બનશે.






Latest News