મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ડ્રેનેજની ગંદકીનો જાહેરમાં નિકાલ કરતાં કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની માંગ


SHARE







મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ડ્રેનેજની ગંદકીનો જાહેરમાં નિકાલ કરતાં કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની માંગ

મોરબી પાલિકા દ્વારા ચાલતા ડ્રેનેજ સફાઈના વાહનમાં આરટીઓના નિયમોનો સરેઆમ ભંગ કરી નંબર પ્લેટ વગર ખુલ્લેઆમ રસ્તામાં ગાડી દોડાવી રહ્યા છે પરંતુ છતાં પણ આ ગાડી કોઈ પણ અધિકારીના નજરમાં આવતી નથી ? તો શું નિયમો બધા માત્ર ગરીબ માણસોને લાગુ પડે છે એવી રીતે તેના ઉપર કોઈપણ પ્રકારની કોઈ દ્વારા કાર્યવાહી થતી નથી. ? અને આજુબાજુના વિસ્તારમાંથી ગટર સફાઈનો કચરો ઉપાડી યોગ્ય નિકાલ કરવાની બદલે સામાકાંઠે વોર્ડ નંબર- ૩ કે જે વિસ્તારમાં હાલના ધારાસભ્ય અને નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ બંનેના વસવાટ કરતા હોય એવાં વીસ્તારમાં આવેલી વિદ્યુતનગર, હરિપાર્ક સોસાયટી, ઉમા ટાઉનશિપ સોસાયટીના આવન જાવનના રસ્તાની બાજુમાં આવેલ પંપિંગ સ્ટેશનના દરવાજાની બાજુમાં જ ગટરના કદડાના નિકાલ કરવામાં આવે છે અને આજુબાજુમાં રહેતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે તો તો આવી રીતે ખુલ્લેઆમ કદડો નાખવાથી રહીશોને થતી પરેશાનીનો ઉકેલ ક્યારે આવશે તેવી આમ આદમી પાર્ટીનાં મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા મોરબી નગરપાલિકાને ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે અને આ કોન્ટ્રાકટર પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવા માંગ કરવામાં આવી છે. વધુમાં આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ સાથે વાતચીત કરતા જણાવ્યું કે જો અમારી માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો સ્થાનીક લોકોને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News