મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા


SHARE













મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈનો 43 માટે વિજય થયેલ છે.જયારે ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ અને સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈનો વિજય થયેલ છે.જેથી કરીને વકીલ મિત્રોએ આ વિજયને ઢોલ નગારા સાથે વધાવ્યો હતો.

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજાચેતનભાઈ સોરીયાપ્રાણલાલભાઈ માનસેતાદેવજીભાઈ પરમારે દાવેદારી કરી હતી જયારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયાદેવજીભાઈ પરમારરજાકમિંયા બુખારીમનીષભાઈ જોશી, સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણજોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયાદેવજીભાઈ પરમારધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતરપ્રદીપભાઈ કટીયાકરમશીભાઈ પરમારમોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ હતી અને મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અને મોડી સાંજ સુધી મતગણતરી ચાલી હતી અને ત્યાર બાદ વિજેતા ઉમેદવરોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈ, ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ, સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતરકરમશીભાઈ પરમાર અને મોનિકાબેન સંઘાણીનો વિજય થયેલ છે.જયારે મહીલા પ્રતિનિધી તરીકે કમળાબેન મુછડીયા બીન હરીફ જાહેર થયા હતા.જેથી વિજેતા બનેલા તમામ વકીલોને અન્ય વકીલોએ ફોનથી તેમજ રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી.તેમજ કોર્ટ બિલ્ડિંગના પરિસરમાં ઢોલ નગારા સાથે વિજેતા પ્રમુખ સહિતના હોદેદારોને વધાવવામાં આવ્યા હતા.






Latest News