મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી-માળિયા તથા હળવદના મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી-માળિયા તથા હળવદના મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબી, માળિયા અને હળવદમાં મામલતદારની જગ્યા ખાલી હોય તેને ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને હાલ ખાલી જગ્યાના લીધે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તેથી સત્વરે આ બાબતનો ઉકેલ લાવવામાં આવે તેમ જણાવવામાં આવેલ છે.

વધુમાં પી.પી.જોશીના જણાવ્યા પ્રમાણે તેઓ દ્વારા મોરબી, માળિયા અને હળવદ એમ ત્રણેય તાલુકાઓનો પ્રવાસ કરતા આ તાલુકાઓમાં મહત્વની એવી મામલતદારની જગ્યા ખાલી છે.! જે તાત્કાલીક ભરવી જરૂરી છે.કારણકે હાલમાં નાયબ મામલતદારો ચાર્જમા હોય નિતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી અને પ્રજા હેરાન પરેશાન થાય છે. મામલતદાર એટલે તાલુકાના મુખ્ય અધિકારી ગણાય છતા જો આ જગ્યા પણ ખાલી હોય તો અરજદારોને મુશકેલીનો સામનો કરવો પડે છે અને પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે.પ્રજાના અસંખ્ય કામો હાલમા મોરબી, હળવદ અને માળિયામાં સમયસર થતા નથી મોરબી જીલ્લો બન્યાને વર્ષો થયા પરંતુ ખાલી જગ્યાને કારણે પ્રજાને સુવિધા મળતી નથી અને બીન અભુવીને મામલતદારનો ચાર્જ આપી હાલ ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે.તે યોગ્ય નથી માટે આ બાબતે પ્રજાનું હિત વિચારીને ત્રણેય તાલુકામાં તાત્કાલીક મામલતદારની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે.






Latest News