મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી, જામનગર અને રાજકોટ ત્રણ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એક જ ન્યાયમૂર્તિ ! સ્ટાફ વધારવા માટે રજૂઆત


SHARE











મોરબી, જામનગર અને રાજકોટ ત્રણ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એક જ ન્યાયમૂર્તિ ! સ્ટાફ વધારવા માટે રજૂઆત

મોરબી, જામનગર અને રાજકોટ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં એક જ ન્યાયમૂર્તિ હોઈ ફરિયાદીઓને ન્યાય મેળવવામાં ઘણો વિલંબ થાય છે તે દુવિધા દુર કરવા પુરતો સ્ટાફ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવેલ છે કે, મોરબી, જામનગર અને રાજકોટ એમ ત્રણ જીલ્લાની ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં એક જ ન્યાયમૂર્તિ હોવાના કારણે ફરિયાદીને ન્યાય મેળવવામાં ખુબ જ વિલંબ થાય છે.તેમાં મોરબી જિલ્લામાં તો કચેરીમાં કલાર્ક નથી, સ્ટેનો નથી, પટાવાળા પણ નથી..! જેથી ફરીયાદીને પારાવાર મુશ્કેલી થાય છે.અને ફરીયાદીને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે.મોરબી ઓદ્યોગિક શહેર હોઈ ગ્રાહક અદાલતમાં ઘણા કેઇસો આવે છે.આવી પરીસ્થીતીમાં ગ્રાહક સુરક્ષા જેવી યોજના નિષ્ફળ જતી હોઈ તેવુ દેખાઈ રહ્યુ છે.મોરબીની પરીસ્થીતી એવી છે કે ગ્રાહક અદાલતને ફેસલો આવી જાય પણ ફરીયાદીએ હુકમ લેવા જામનગર જવું પડે છે..! મોરબીથી જામનગરનું અંતર ૧૧૦ કીલોમીટર છે.ગરીબ ફરીયાદીને ત્યાં જવું પાલવે નહીં.અહીં ઓર્ડર નથી મળતો તેનું કારણ મોરબી જિલ્લામાં ગ્રાહક અદાલતમાં રેગ્યુલર કલાર્ક નથી, સ્ટેનો નથી, પટાવાળા નથી મોરબી જિલ્લાનું મથક હોઇ ગ્રાહક અદાલતમાં જગ્યા ખાલી હોવાને કારણે ફરીયાદી હેરાન થાય છે.તો ફરીયાદીઓના જણાવ્યા પ્રમાણે હુકમ મોરબીમાં મળે અને ન્યાયમૂર્તિથી માંડી ખુટત સ્ટાફ ભરવામાં આવે તો જ સરકારની ગ્રાહક અદાલતની આ યોજના સફળ થશે.મોરબી ગ્રાહક અદાલતમાં ચુકાદા આપ્યા પછી હુકમ મોરબી ગ્રાહક અદાલતમાં મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઇ છે.ફરીયાદીને અન્યાય થાય તો ૩૦ દિવસમાં સ્ટેટ કમીશનમાં જવામાં મોડુ થાય તો તેણે હુકમ લેવા જામનગર જવું પડે છે. અને ચાર-પાંચ જીલ્લા વચ્ચે એક જ ન્યાયમૂર્તિ છે.સ્ટાફ ભરતી અને ન્યાયમૂર્તિની ભરતી માટે યોગ્ય કરવામાં આવે તો ભોગ બનેલ ગ્રાહકને ઝડપી ન્યાય મળે.






Latest News