મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાન પાસેથી 8.56 લાખનો મુદામાલ પડાવી લઈને ખંડણી માંગવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં વેપારી યુવાન પાસેથી 8.56 લાખનો મુદામાલ પડાવી લઈને ખંડણી માંગવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં દુકાન ધરાવતા વેપારી યુવાન પાસેથી સનાળા ગામના શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવતી હતી અને સમયાંતરે તેની પાસેથી રોકડા 5,43,000 સહિત કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. અને માર મારીને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જે ગુનામાં પહેલા પકડાયેલ આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે અને આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી યુવાન દેવકુમાર ચેતનભાઇ સોરીયા (21)એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલાભાઈ રબારી તથા તેની સાથે રહેલા આજાણ્યા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, વિશાલ રબારી સાથે તેને કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થઈ ન હતી તેમ છતાં પણ તેની પાસે બળજબરીથી ખંડણી માંગવામાં આવતી હતી અને અલગ અલગ સમયે તેની પાસેથી વિશાળ રબારીએ 5.46 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.

આટલું જ નહીં ફરિયાદી પાસેથી મોબાઈલ અને બુલેટ મળીને કુલ 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો તેમજ તે યુવાનને ટંકારા તાલુકાના વીરપર ગામની ખીણમાં તેમજ મીતાણા ગામ નજીક લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારે યુવાનને માર માર્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી. અને આરોપી વિશાલ વેલજીભાઇ આલ જાતે રબારી રહે. શક્તિ માતાજીનાં મંદિર પાછળ શનાળા વાળાની ધરપકડ કરી હતી.

આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ સી.એમ. કરકર અને તેની ટીમે આ ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે જેમાં સઇદ અક્રમ નરુલ અમીન કાદરી (25) રહે. ભવાની સોડા વાળી શેરી કાલીકા પ્લોટ રવાપર રોડ મોરબી તથા સિધ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા (20) રહે. સનાળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.






Latest News