મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમમાં બે દિવસ પહેલા ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ આજે મળ્યો


SHARE











મોરબીના મચ્છુ-2 ડેમમાં બે દિવસ પહેલા ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ આજે મળ્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે યુવાન કેનાલમાં બે દિવસ પહેલા ડૂબી ગયો હતો જે અંગેની જાણ કરવામાં આવી હતી જેથી કરીને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ આજે મચ્છુ-2 ડેમમાંથી મળી આવ્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે 

 
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લાલપર ગામે રહેતા વિપુલભાઈ ભુપતભાઈ કણસાગરા (22) નામનો યુવાન બે દિવસ પહેલા કોઈ કારણોસર લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને આ અંગેની જાણ જે તે સમયે ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી જેથી ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનલમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારે પાણીમાંથી યુવાન મળી આવ્યો ન હતો અને કેનાલમાં પાણી ચાલુ હોય પાણી મારફતે યુવાન મોરબીના મચ્છુ-2 ડેમ સુધી પહોંચ્યો હતો અને આજે સવારે પોણા દસ વાગ્યાના અરસામાં યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળી આવ્યો છે અને મૃતક યુવાનના ડેડબોડીને ફાયરની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે





Latest News