મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વર્લ્ડ હાર્ટ ડે: મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન-સાયકલો થ્રોન યોજાઇ, 1,500થી વધુ લોકોએ ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા


SHARE











વર્લ્ડ હાર્ટ ડે: મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન-સાયકલો થ્રોન યોજાઇ, 1,500થી વધુ લોકોએ ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા
 
આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે જુદા જુદા શહેરોમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજતા હોય છે ત્યારે મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન અને સાયકલો થ્રોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા 1,500થી વધુ લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બે, પાંચ અને દસ કિલોમીટરની મેરથોન અને સાયક્લોથ્રોનમાં વિજેતા બનેલા તમામ વ્યક્તિઓને શિલ્ડ, રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા 
 
કોરોના પછીથી હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે અને હાર્ટ અટેકથી બચવા માટે થઈને યોગા કરવામાં આવે તેમજ જો દૈનિક ચાલવાનું રાખવામાં આવે તો તેનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે તેવુ ડોક્ટરો પણ કહી રહ્યા છે ત્યારે આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે મોરબીમાં કાર્ડિયાર્ક અવેરનેશના ભાગરૂપે સાઇકલો થ્રોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના ઉમિયા સર્કલથી લઈને મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પાર્ટી પ્લોટ ખાતે આ મેરેથોન અને સાયક્લોથ્રોનને પૂર્ણ કરવામાં આવી હતી. અને શહેરના રાજમાર્ગો ઉપરથી વહેલી સવારે લોકોએ દોડ લગાવી હતી અને આ મેરેથોન અને સાયક્લોથ્રોનમાં વિજેતા બનેલા તમામ વ્યક્તિઓને આયુષ હોસ્પિટલ દ્વારા રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે મોરબી આઈ હોસ્પિટલના ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. અનિલભાઈ પટેલ, ડો. વિજયભાઈ ગઢીયા, ડો. આશિષભાઈ ત્રિવેદી, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા વિગેરે ડોક્ટરો તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.





Latest News