ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકની કોલસાની ચોરી-છેતરપીંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર


SHARE











માળીયા (મી) તાલુકની કોલસાની ચોરી-છેતરપીંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર

માળીયા પોલીસ સ્ટેશનમાં કોલસાની ચોરી તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને તેના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશનમાં કેતનભાઈ ગુણવતભાઈ વ્યાસ,  સુરેશભાઈ રામજીભાઈ સરવૈયા અને મેહુલગીરી મહેશગીરી ગોસ્વામી વિરુદ્ધ આઇપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી)-34 મુજબ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા હતા અને આ આરોપીના જામીન માટેની અરજી મોરબીના સિનિયર વકીલ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં મોરબીની સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ સમક્ષ રેગ્યુલર જામીન અરજી માટે મનીષ ઓઝા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.






Latest News