હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)માં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને થયેલ યુવાનની હત્યા કરનારા બે આરોપીની ધરપકડ


SHARE











માળીયા (મી)માં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને થયેલ યુવાનની હત્યા કરનારા બે આરોપીની ધરપકડ

માળીયા મીયાણામાં આવેલ મોવર ટીંબા વિસ્તારમાં રહેતા આધેડને તે જ વિસ્તારમાં રહેતા બે શખ્સની સાથે જમવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને લાકડાના ધોકા વડે આધેડને શરીર ઉપર આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હત્યાના આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના હરીપર આકડીયા વિસ્તારમાં રહેતા અજયભાઈ ચંદુભાઈ ભીમાણી (25) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નુરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર અને રજાક ગફુરભાઈ મોવર રહે બને મોવર ટીંબા માળિયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તારીખ 20/9 ના રાત્રિના પોણા બારેક વાગ્યાથી લઈને 21 તારીખના સવારના 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મૃતકના પિતા ચંદુભાઈ લાધાભાઇ ભીમાણી (58) ને બંને આરોપીઓએ જમવા બાબતે ઝઘડો કરીને તેનું મન દુઃખ રાખીને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા ફરિયાદીના પિતાનું મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.કે. જાડેજા અને તેની ટીમે આરોપી નુરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર (45) રહે. જૂના રેલ્વે સ્ટેશન પાસે માળીયા અને રજાક ગફુરભાઈ મોવર (30) રહે. મોવર ટીંબા માળિયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે




Latest News