ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં મંજૂરી વિના કતલખાના ચાલી રહેલા છે આવા ગેરકાયદે પશુ કતલખાના બંધ કરાવવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મોરબીના કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કલેકટરને કરેલ આ રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર ચાલતા પશુ કતલખાના અને પશુ પ્રત્યેના ઘાતકીપણાના કૃત્યો બંધ કરાવવા અનિવાર્ય છે. જીલ્લામાં જાહેર રોડ રસ્તા પર ચાલતા કતલખાનાના કારણે જિલ્લામાં રહેતા બહુમતી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે જેની તેઓને વારંવાર ફરિયાદ મળે છે. માટે હાઇકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આવી રીતે ગેરકાયદેસર ચાલતા કતલખાના અને સામાજિક દૂષણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવનારાઓની સામે વહીવટી તંત્ર કડક પગલા ભરે અને કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે તે માટે જાહેરનામું અમલી કરવામાં આવે તે જરૂરી છે.

વધુમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીની સામે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેથી ત્યાંના લોકોની રજૂઆત મળી હતી કે ત્યાંથી પસાર થઈએ ત્યારે ભયંકર દુર્ગંધ હોય છે અને રોગચાળાનો પણ ભય રહે છે જેથી ગણેશ વિસર્જન સમયે જે પ્રકારે જાહેરનામાનો કડક અમલ કરાવ્યો હતો એવી જ રીતે કતલખાના અને નોનવેજના વેચાણ અંગે જીલ્લામાં જાહેરનામું બહાર પાડીને ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે જાહેરનામાનુનું કડક પાલન કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News