સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીમાં સરદાર સોસાયટી સામે આવેલ ધર્મવિજય સોસાયટીમાં નવા બનતા બહુમાળીમાં પાંચમાં માળે સેન્ટીંગ ખોલતા સમયે યુવાન ઉપરથી નીચે પડ્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું અને આ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઠાકોર ફળિયુના રહેવાસી અને હાલમાં મોરબીમાં બાયપાસ રોડ નજીક આવેલ સરદાર સોસાયટી પાસે ધર્મ વિજય સોસાયટીમાં બાલાજી ડેવલોપર્સ દ્વારા જે બહુમાળીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ પુનાભાઈ બારીઆ જાતે કોળી (29) નામનો યુવાન પાંચમા માળે સેન્ટીંગ ખોલવાનું કામ કરી રહ્યો હતો દરમિયાન તે ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની દિનેશભાઈ સરતનભાઈ બારીઆ જાતે કોળી (36) રહે. હાલ ધર્મવિજય સોસાયટી મૂળ રહે દેવગઢ બારીયા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સિરામિક ખાતે રહેતા ચંદનભાઈ શેશનાથ યાદવ (25) નામના યુવાનનું કોઈ પણ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે






Latest News