મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં નેશનલ હાઇવે ઉપર બે અકસ્માતમાં બે યુવાનના મોત


SHARE











વાંકાનેર શહેર-તાલુકામાં નેશનલ હાઇવે ઉપર બે અકસ્માતમાં બે યુવાનના મોત

વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ચંદ્રપુર ગામ નજીક અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવ બન્યા હતા અને તે બંને બનાવમાં ગંભીર ઇજા થવાના કારણે બે યુવાનોના મોત નીપજયાં હતા જે બંને બનાવની વાંકાનેર સિટી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર નૂરાની કોમ્પ્લેક્સ સામેથી સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહેલા અકબરભાઈ સલેમાનભાઈ રતનિયા (25) રહે. કેરાળા તાલુકો વાંકાનેર વાળાની સાઇકલને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે આ યુવાનના શરીર ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડમ્પર ચાલકે હડફેટે લેતા શૈલેષભાઈ રમેશભાઈ બામણીયા (22) રહે. પાંચાવડા ગામ વાળાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ચોટીલાની હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં
મોરબીના રાજપર રોડે હિમશીલા કંપનીમાં રહેતો અને કામ કરતો પંકજભાઈ નવલભાઇ પરમાર (27) નામનો યુવાન સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ પોતે ઉપરોક્ત કંપનીમાં હતો ત્યારે કોઈ કારણસર બીજા માળેથી નીચે પડી જતા માથે અને શરીરે ઈજા થતાં પ્રથમ સારવાર મોરબી સિવિલ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવતા ઈમરજન્સીમાં દાખલ કરેલ છે.






Latest News