Morbi Today
મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં જનોઈ બદલાવી
SHARE
મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં જનોઈ બદલાવી
બ્રાહ્મણો માટેની દિવાળી એટલે કે શ્રાવણ સુદ પૂનમ અને આ દિવસે મોરબીમાં બ્રાહ્મણો સમૂહમાં જનોઈ બદલાવતા હોય છે અને શ્રાવણી કર્મ કરતાં હોય છે આ વર્ષ પણ મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ જનોઈ બદલવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું અને સાત ઋષિમુનીઓની પૂજા કરવામાં આવી હતી અને મા ભગવતીની આરાધના કરીને જનોઈ બદલાવવામાં આવી હતી અને મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ અને મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારો સહિતના ભૂદેવો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને સમૂહમાં જનોઈ બદલાવી હતી.









