મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના હરીપર કેરાળા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું દબાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના હરીપર કેરાળા રોડ ઉપર આવેલ નેશનલ પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ (31) નામનો યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ પણ કારણોસર લિફ્ટમાં તેનું માથું અકસ્માતે દબાઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું પડી જવાથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતા યુનુસભાઈ હાસમભાઇ ખોખર (65)ને દોઢ-બે મહિનાથી કેન્સર ની બીમારી હતી જેથી માનસિક તકલીફ થઈ જતા તે ઘરે રહેતા ન હતા અને સાંજના છેક વાગ્યે અરસામાં તે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની સાઈડમાં તેઓ પડી જતા તેનું મોત થયુ હતુ અને તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News