મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE











મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના હરીપર કેરાળા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું દબાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના હરીપર કેરાળા રોડ ઉપર આવેલ નેશનલ પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ (31) નામનો યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ પણ કારણોસર લિફ્ટમાં તેનું માથું અકસ્માતે દબાઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું પડી જવાથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતા યુનુસભાઈ હાસમભાઇ ખોખર (65)ને દોઢ-બે મહિનાથી કેન્સર ની બીમારી હતી જેથી માનસિક તકલીફ થઈ જતા તે ઘરે રહેતા ન હતા અને સાંજના છેક વાગ્યે અરસામાં તે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની સાઈડમાં તેઓ પડી જતા તેનું મોત થયુ હતુ અને તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News