મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન 


SHARE











મોરબીમાં માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન 

મોરબીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ હતો કે મોરબી નીચી માંડલ ગામે કેનાલ પાસે એક કિશોરી છે અને છેલ્લા ૧૬ કલાકથી આંટા ફેરા કરે છે અને કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે જેથી કરીને કિશોરીની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં પહોચી હતી.

ત્યાર બાદ અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે કિશોરી પાસે પહોચીને તેનું કાઉન્સિલિંગ કયું હતું અને તેને મોટીવેટ કરી હતી ત્યારે કિશોરી પાસેથી તેના ઘરનું સરનામું મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એવી માહિતી સામે આવી હતી કે, કિશોરી તેના માતા, પિતા, એક ભાઈ તેમજ એક બહેન સાથેના સહ પરિવાર સાથે રહે છે. અને કિશોરીએ કહ્યું હતું કે, કામકાજ બાબતે તેમના માતા પિતા ખીજાતા હતાં અને માર મારતાં હતાં. અને નાની નાની વાતે માનસિક ત્રાસ આપતા હતાઅને અપશબ્દો કહેતા હતા જેથી તે કંટાળીને ઘરેથી નીકળી ગયેલ હતી, અને તેના માતા પિતા ઉંચા કોટડા નીવેદ કરવા ગયા હતા પાછળથી તે ઘરેથી નીકળી ગયેલ હતી. ત્યારબાદ તેમના માતા પિતા જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીનું સરનામું મેળવીને તેના માતા પિતા અને કંપનીના માલિક સાથે વાતચીત કરેલ હતી અને ત્યાં પહોચ્યા હતા. ત્યારે કિશોરીના માતા પિતાએ કહ્યું હતું કે, દીકરી કહ્યા વગર નીકળી ગયેલ હતી તેને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ હતા પરંતુ તે મળેલ ન હતી. હાલમાં કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે અને તેને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




Latest News