વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા પ્રજાના ટેક્ષના પૈસાનો  ગેરઉપયોગ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ


SHARE











મોરબી નગરપાલિકા પ્રજાના ટેક્ષના પૈસાનો  ગેરઉપયોગ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

મોરબી શહેર ની કહેવાતી એ ગ્રેડ ની નગરપાલિકા માં ચાલતો  ટેક્ષના પૈસાનો બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવું મોરબી શહેર કોંગ્રેસના માજી પ્રમુખ આક્ષેપ કરેલ છે.

મોરબી નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકાના નિણર્ય વિરુધ પોતાનાના હક માટે કોર્ટની અંદર કેસ કરેલ છે. જે કેસ કોર્ટ અંદર ચાલી રહ્યા છે  જેમાં મોરબી પાલિકા તરફથી ભાજપ પક્ષની વિચારધારાના રાજકોટના કોઈ વકીલને કેસમાં રોકવામાં આવ્યા છે. જેની કેસ દીઠ કે મુદત દીઠ કોર્ટે ફી નગરપાલિકા આશરે 5,000 જેવી રકમ ચૂકવે છે આ ચૂકવતા તમામ પૈસા મોરબી શહેરની પ્રજા દ્વારા મોરબી નગરપાલિકાને ટેક્સના રૂપમાં ભરવામાં આવેલ છે તે ટેક્ષની રકમમાંથી ચૂકવવામાં આવે છે પરંતુ કોર્ટ કેસ કરનાર કર્મચારી અને યુનિયનના લીડર સાથે ચર્ચા કરતા તેઓએ એવું જણાવેલ કે  રાજકોટથી આવતા આ ભાજપની વિચારધારાના વકીલ કોર્ટમાં મુદત સમયે હાજર રહેતા નથી જેના કારણે કોર્ટ દ્વારા નગરપાલિકાના રજૂઆતના હક બંધ કરવામાં આવે છે  જે વકીલને પણ જણાવવામાં આવે છે.

આમ હક બંધ થઈ જતા ફરી હક ચાલુ કરાવવા માટે જે તે લોકોએ કેસ કરેલ છે તેમને પૈસા ચૂકવવા પડે છે જેના કારણે પાલિકાને આર્થિક નુકસાન થાય છે અને કોર્ટ કેસની વકીલને ફી  ઉપરાંત કામદારોને પણ  પૈસા ચૂકવવા પડે છે. તો આ વકીલ કોર્ટ કેસમાં શા માટે હાજર રહેતા નથી ? અને હાજર નથી રહેતા તેના કારણે કર્મચારીઓના કેસનું નિરાકરણ આવતું નથી અને મોરબી પાલિકાને પણ  આર્થિક નુકસાની થાય છે. પાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે. તો વહીવટદાર આ બાબતે શું  આ બાબતની સમજ નહી  ધરાવતા હોય ? કે પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે વેડફાય છે. તો તે  પૈસાની જવાબદારી કોની  ? પ્રજા પોતે પોતાના પરસેવાના કમાણીના ટેક્સના પૈસા પાલિકામાં ભરે છે. અને આ વકીલ કામગીરી કરી શકતા ન હોય તો તેમને તાત્કાલિક છુટા કરી દેવા જોઈએ. મોરબી પાલિકાના વહીવટદારે તાત્કાલિક પૈસા બચાવ માટે રાજકોટથી આવતા વકીલને છુટા કરી સ્થાનિક વકીલને રોકવા જોઈએ અને પૈસાનો ગેરઉપયોગ બંધ  થાય  તેવું કરવા માટે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.






Latest News