મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત


SHARE











મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત

મોરબી જિલ્લામાં જુદાજુદા ત્રણ સ્થળે પાણીમાં ડૂબી જવાની ઘટના બની હતી જેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે ત્યાં તાત્કાલિક પહોચીને પાણીમાં ડૂબી ગયેલા યુવાનોના મૃત દેહને શોધીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાના કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ લોકેશન ઉપર તાત્કાલિક પહોચીને પાણીમાં ડૂબી ગયેલા લોકોને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ નરસીભાઈ આગેચાણિયા (૪૦)ની બોડી મચ્છુ-૨ ડેમમાંથી કાઢી હતી, મિલેનિયમ પેપર મીલની બાજુમાં આવેલ કેનાલમાંથી આકાશ ચંદ્રપાલ વર્મા (25) રહે. મૂળ દેવગાવ (ઉત્તરપ્રદેશ) વાળાની બોડી કાઢી હતી અને માળીયા તાલુકાનાં રાજપરથી કુંતાસી જતા રસ્તા ઉપર આવેલ ચેકડેમમાંથી રામજીભાઈ રામાભાઇ પરમાર (38) રહે. કુંતાસી વાળાની બોડીને કાઢવામાં આવી હતી આમ એક જ દિવસમાં જુદાજુદા ત્રણ સ્થળે પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનના મોત નીપજયાં છે.






Latest News