ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ


SHARE











મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ

દેશભરમાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે જો કે, તેની જાણકારી સામન્ય લોકો પાસે નથી જેથી કરીને પોલીસ વિભાગ દ્વારા લોકોને નવા કાયદાની જાણકારી આપવા માટે કોલેજથી લઈને ગ્રામસભા સુધી સેમીનાર કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

ભારત સરકારે નવા કાયદા બનાવેલ છે. તેનો અમલપણ શરૂ થઇ ગયો છે ત્યારે કાયદામાં સુધારા આવકાર દાયક છે. પરંતુ આ કાયદા વિષે હજુ જાણવા પ્રમાણે વકિલોને પણ સમજાતુ નથી. તેવી ચર્ચા થઇ રહી છે. તો પ્રજાને કાયદાની સમજ ન હોય તે સમજી શકાય તેમ છે જેથી કરીને જે કાયદો પ્રજા માટે અમલમાં આવેલ છે. તે કાયદાના ફાયદા અને કાયદા વીરૂધ્ધ જાય તો શું નુકશાન છે ? કેટલી સજા છે ? તે જાણકારી પ્રજાને આપવામાં આવે તે જરૂરી છે.

જેથી કરીને પોલીસ ખાતા દ્વારા સેમીનાર, સભા, ગ્રામ્ય સભા યોજીને તેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તો પ્રજાને નવા કાયદાની જાણકારી મળશે. વધુમાં જણાવ્યુ છે કે, આજની તારીખે સમાજમાં ઘણી એવા લોકો છે જેમનું ભણતર ઓછુ છે જેથી તેનુ ભોળપણ અને અજ્ઞાનતા તેને નુકશાન કરી શકે. માટે પોલીસ દ્રારા કોલેજથી લઈને ગ્રામ્ય સભા સુધી સેમીનાર દ્રારા નવા કાયદાની જાણકારી આપવામાં આવે તો તેનું વધારે સારૂ પરિણામ મળશે તેમજ નવો કાયદો વધુ અસરકારક બનશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News