મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અપહરણ-દુષ્કર્મ કેશમાં નીર્દોષ છુટકારો


SHARE







મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અપહરણ-દુષ્કર્મ કેશમાં નીર્દોષ છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ૨ોપી સતીષે લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગી૨ વયની છે તેવુ જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.તેવી હળવદ પોલીસમાં ફરીયાદ કરવામાં આવેલ હતી.આ ફરીયાદના કામે પોલીસે આરોપી તરીકે સતીષભાઈ ધુડાભાઈ ઝંઝુવાડીયાની ધરપકડ કરી હતી.

આ કામના આરોપી વતી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી જીતેનભાઈ ડી. અગેચાણીયા રોકાયેલ હતા.આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગ બનનાર, ભોગ બનનારના માતા-પિતા તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરપોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ દલીલ-પુરાવાના અંતે આરોપીના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદીએ આરોપીને ગંભી૨ પ્રકા૨ના ગુનામાં સંડોવી દઈ ખોટી ફ૨ીયાદ કરેલ છે.આરોપી તદન નીર્દોષ છે.જયારે બચાવ પક્ષે આ૨ોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ.કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ.જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફ૨ીયાદી પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તેમ કરવામાં તેઓ સંપુર્ણ નીષ્ફળ રહેલ છે.જેથી આરોપીને સજા ન કરી શકાય.તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વા૨ા આ કામના આરોપી સતિષને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩૩૬૬૩૭૬(૨) આઈ૧૧૪ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૩(એ)૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ક૨વામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી જાણીતા એડવોકેટ જીતેન અગેચાણીયાદિલીપભાઈ અગેચાણીયાજે.ડી.સોલંકીરિવ ડી.ચાવડાકુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News