મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અપહરણ-દુષ્કર્મ કેશમાં નીર્દોષ છુટકારો


SHARE











મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અપહરણ-દુષ્કર્મ કેશમાં નીર્દોષ છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ૨ોપી સતીષે લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગી૨ વયની છે તેવુ જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.તેવી હળવદ પોલીસમાં ફરીયાદ કરવામાં આવેલ હતી.આ ફરીયાદના કામે પોલીસે આરોપી તરીકે સતીષભાઈ ધુડાભાઈ ઝંઝુવાડીયાની ધરપકડ કરી હતી.

આ કામના આરોપી વતી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી જીતેનભાઈ ડી. અગેચાણીયા રોકાયેલ હતા.આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગ બનનાર, ભોગ બનનારના માતા-પિતા તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરપોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ દલીલ-પુરાવાના અંતે આરોપીના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદીએ આરોપીને ગંભી૨ પ્રકા૨ના ગુનામાં સંડોવી દઈ ખોટી ફ૨ીયાદ કરેલ છે.આરોપી તદન નીર્દોષ છે.જયારે બચાવ પક્ષે આ૨ોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ.કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ.જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફ૨ીયાદી પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તેમ કરવામાં તેઓ સંપુર્ણ નીષ્ફળ રહેલ છે.જેથી આરોપીને સજા ન કરી શકાય.તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વા૨ા આ કામના આરોપી સતિષને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩૩૬૬૩૭૬(૨) આઈ૧૧૪ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૩(એ)૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ક૨વામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી જાણીતા એડવોકેટ જીતેન અગેચાણીયાદિલીપભાઈ અગેચાણીયાજે.ડી.સોલંકીરિવ ડી.ચાવડાકુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News